કર્મયોગ નું દર્શન કરાવતો ભગવદ ગીતાનો આ શ્લોક મને ખૂબ જ ગમે છે,
કર્મ વિશે શ્રી ક્રુષ્ણ ભગવાને કહ્યું છે કે,
"कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥" (બીજો અધ્યાય, શ્લોક ૪૭)
આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, કર્મ કરવું જ તારા હાથમાં છે તેના ફળસ્વરૂપ શું પરિણામ આવશે તે નક્કી કરવાનું તારા હાથમાં નથી. આથી ફળની ચિંતા કર્યા વગર પોતાનું તમામ ધ્યાન અને શક્તિ માત્ર કર્મ પર કેન્દ્રિત કર. કોઈ સારું પરિણામ મળવાથી કર્મ કરવાનું બંધ ન કરવું જોઈએ પરંતુ તેમાંથી વધારે સારા કાર્ય કરવા માટેની પ્રેરણા મેળવવી જોઈએ.
આ શ્લોક, માણસને દિવાસ્વપ્ન માં રાચવા ને બદલે વર્તમાનમાં જીવવાનું અને પોતાની જાત પર આત્મવિશ્વાસ રાખવાનું શીખવે છે. કદાચ કોઈ કાર્ય કરવા દરમિયાન અપેક્ષિત પરિણામ ન આવે તો ડિપ્રેશનમાં આવી જવાને બદલે પોતાની જાત પર વિશ્વાસ રાખી ને આગળ વધવા માટે તત્પર રહો॰
"કર્મ કરો ફળ ની ચિંતા છોડી દો.
આપના જીવન ના સારા કર્મો નું ફળ સારું મળશે જ "
જેવુ વાવશો તેવું લણશો.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें